મોરબીના કથાકાર હસુભાઈ પંડ્યા દ્વારા હરિદ્વારમાં 27 માર્ચથી ભાગવત કથા

- text


મોરબી : મોરબીના જાણીતા કથાકાર હસુભાઈ વી. પંડ્યા દ્વારા હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27 માર્ચ થી 2 એપ્રિલ સુધી ગંગા મૈયાના સાનિધ્યમાં હરિદ્વારના ભારતમાતા મંદિર રોડ પર આવેલા ચિત્રકૂટ ધામ ખાતે આ શ્રીમદ ભાગવત કથા યોજાશે. જેમાં મોરબીના જાણીતા વક્તા હસુભાઈ વી. પંડ્યા દરરોજ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. વધુ માહિતી માટે મો.નં. 9825599617 પર હસુભાઈ વી. પંડ્યાનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text