આગામી તા.૨૨ના રોજ યોજાનાર મુખ્યમંત્રી ‘સ્વાગત’ કાર્યક્રમ રદ

- text


મોરબી : પ્રજાજનોની રજૂઆતો અને તેના નિવારણ માટે ટેકનોલોજીના વિનિયોગથી દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રી રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અન્વયે ફેબ્રુઆરી મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ જે આગામી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ગુરૂવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવાનો હતો તે આ ગુરૂવારે અનિવાર્ય કારણોસર યોજાશે નહીં. સૌ સંબંધ કર્તાઓને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે.જયારે 21 તારીખે તાલુકા સ્વાગત અને 22 તારીખે જિલ્લા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે

- text