મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરાઈ 

- text


મોરબી : યોગ આસનોમાં સૂર્યનમસ્કાર શ્રેષ્ઠ છે. આ એક માત્ર આસનથી શરીરને પૂર્ણ વ્યાયામ મળે છે. સૂર્યનમસ્કાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યારે આજે મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમીના દિવસની ઉજવણીના ભાગરૂપે સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવ્યો હતો.

- text

આજરોજ સાર્થક વિદ્યામંદિરમાં શાળાના યુકેજીના બાળકોથી લઈને ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓ ઉજવણીમાં ભાગ લીધો હતો. સાર્થક વિદ્યામંદિરના યોગ આચાર્યો કમલેશભાઈ, તેજલબેન, મીનલબેન અને પાયલબેન દ્વારા સૂર્યનમસ્કાર કરાવવામાં આવ્યા હતા.

 

- text