- text
તંત્ર રીપેર ક્યારેય કરશે, પણ વાહનચાલકો અહીં સાવચેતી સાથે વાહન ચલાવજો
મોરબી : કોઈ પણ દુર્ઘટના સર્જાય છે ત્યારપછી જ ઘોડા દોડ્યા બાદ તબેલે તાળા મારવાની માફક તકેદારીઓ રાખવાનું શરૂ કરવામાં આવે છે. આમ દુર્ઘટના ન સર્જાય ત્યાં સુધી કોઈ પણ ભૂલ-ચૂકને યથાવત સ્થિતિમાં જ જાળવી રાખવામાં આવે છે. પણ લોકોએ આનાથી ચેતતા રહેવું જરૂરી છે. જેથી આવી જ રીતે શનાળા બાયપાસ ઉપર એક ભૂગર્ભ ગટર ખુલ્લી હાલતમાં છે. લોકોએ ચેતીને વાહન ચલાવવું જરૂરી બન્યું છે.
- text
ધર્મલાભ સોસાયટી પાસે બ્રિજ ઉતરતા થોડે જ આગળ અહીં રોડ થોડો બિસ્માર હાલતમાં છે. ઉપરથી એક ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણું સાવ જર્જરિત થઈ ગયું હોય, કુંડી ખુલ્લી હાલતમાં છે. અહીંથી સ્પીડમાં પસાર થતા ટુ વ્હીલર કે ફોર વ્હીલર ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. વાત આમ તો નાની છે. પણ કોઈની જિંદગી જોખમાય જાય તેટલી મોટી પણ છે. માટે તંત્ર ક્યારેય આ કુંડીનું ઢાંકણું રીપેર કરે, વાહનચાલકોએ અહીંથી સાવચેતી સાથે પસાર થવું જ હિતાવહ છે
- text