ટંકારામાં યોજાનાર ધર્મસભામાં યોગગુરૂ બાબા રામદેવ ઉપસ્થિત રહી ઉદબોધન કરશે

- text


મોરબી : મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે તા. 11 ફેબ્રુઆરીને રવિવારે બપોરના 2:30 કલાકે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં વિશ્વમાં યોગની ક્રાંતિના જનક યોગઋષિ સ્વામી રામદેવ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ ઉપસ્થિત રહી ઉદબોધન કરવાના છે. ત્યારે આ દિવ્ય કાર્યક્રમમાં મોરબીની જનતાને સહપરિવાર ઉપસ્થિત રહેવા પતંજલિ યોગ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text