મોરબી જિલ્લા કલેકટરની મુલાકાત લઈ વેપારીઓના પ્રશ્ને ચર્ચા કરતી આમ આદમી પાર્ટી

- text


મોરબી : મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીની મુલાકાત લઈ વેપારીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોરબી જીલ્લાના નવા નીમાયેલા કલેકટર કે.બી.ઝવેરીની મુલાકાત કરી તેમજ સાથે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિનભાઈ, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ સાથે લોહાણાપરાના વેપારી લોકોને સાથે રાખી શાક માર્કેટ પાછળના ભાગે તેમજ લોહાણાપરા વિસ્તારમા જે વર્ષોથી ગંદકીનો જે પ્રશ્ન છે. તેનો તાત્કાલીક નિકાલ થાય તેમજ લોહાણાપરા વિસ્તારમા અમુક જાહેર રસ્તા વચ્ચે લોખંડના પાઈપ ઉભા કરીને રસ્તા બંધ કરવામા આવ્યા છે. જે તાત્કાલીક ખુલ્લા કરાવવા માટે આવેદન આપવામા આવ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text