ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામે યોજના શરૂ કરવા રજૂઆત

- text


મોરબી : હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સત્રમાં ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામની યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત ભાજપના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કરી છે.

- text

સુરેશભાઈ શિરોહીયાએ જણાવ્યું છે કે, સમસ્ત કોળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા અને સંત વેલનાથ બાપુએ તમામ વરણને નવી રાહ બતાવી છે ત્યારે સરકારની અનેક યોજના સંત રોહીદાસ, હરીશચંદ્ર તારામતી, વિરમેઘમાયા, કુંવરબાઈનું મામેરું જેવી યોજના અમલી છે તો આવી જ યોજના સમાજ સુધારક ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામથી શરૂ કરવામાં આવે તેવી જાહેરાત આ બજેટ સત્રમાં કરવામાં આવે તેવી રાજ્યના કોળી ઠાકોર સમાજની લાગણી છે.

- text