મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા અલગ અલગ જગ્યાએ ગલુડિયા ઘર બનાવાશે

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગલુડિયા ઘર મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. વિશીપરા સ્મશાનની અંદર મેલડી માતાજીના મંદિરેથી ગલુડિયા ઘર મુકવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાએ ગલુડિયા ઘર બનાવવામાં આવશે. મોરબીની અંદર કોઈપણ જગ્યાએ ગલુડિયા ઘર મુકવાની જરૂરિયાત જણાઈ તેઓએ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે, ચિરાગભાઈ શેતા (97265 98616, 91065 18189, 97372 44231) નો કોન્ટેક્ટ કરવા યાદીમા જણાવાયું છે.

- text