મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ

- text


મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ લોકપાલને કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે.

- text

કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા સંબંધિત ફરિયાદ, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ મેળવી શકશે અને મોરબી જિલ્લાની જનતા તેઓને મનરેગા સંબંધિત ફરિયાદ મોબાઈલ ઉપર, ઇમેઈલ દ્વારા કે લેખિતમાં કરી શકશે. કેશવજીભાઇ અઘારાનો મોબાઈલ નંબર ૯૫૧૨૦૦૧૬૧૦ છે અને તેમનો ઈમેઈલ [email protected] છે. તેઓની કચેરીનું સરનામું રૂમ નં. ૧૪૮, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ભવન, સો ઓરડી, મોરબી છે.

- text