મોરબીના સામાજિક કાર્યકર દ્વારા શ્રમકાર્ડ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના સામાજીક કાર્યકર આરતીબેન મેહુલભાઇ રત્નાણી દ્વારા વાઘપરા સતવારા સમાજની વાડી ખાતે ગઈકાલે પી.એમ.વિશ્વકર્મા યોજના, આભાકાર્ડ (હેલ્થ આઈડી), ઈ શ્રમ કાર્ડનો વિના મુલ્યે કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં સામાજિક કાર્યકર રિયાઝભાઈ ઘાંચી,માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી,ચતુરભાઈ વરાણિયા,જિલ્લા ભાજપના આઇટી સેલના પ્રમુખ કેવિન શાહ,સીએસસી ઓપરેટર જીતેન્દ્રભાઈ મકવાણા, રિયાઝભાઈ અને ભાજપ શહેર મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા આ કેમ્પને સફળ બનાવામાં આવેલ હતો. કેમ્પમાં આવેલ લાભાર્થીઓ સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવેલ હતું અને યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી.

- text