મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના બાળકો દ્વારા ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે વરિયા પ્રજાપતિ સમાજના બાળકો દ્વારા વરીયાનગર અને સોઓરડી વિસ્તારમાં શેરીએ-શેરીએ જઈ ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આખા વિશ્વમાં ભારત એક જ એવો દેશ છે કે જેમના નામમા માતાનુ સંબોધન થાય છે, કારણ કે અખંડભારતમા બાવન શકિત પીઠ, પવિત્ર નદીઓ, દેવ સમાન પર્વતો, બાર જ્યોર્તિલિંગ, મઠ, અનેક મંદિરો તથા ભારતમાતાના ચરણ પખાળતો સમુદ્ર આવેલો છે. આમ, ભારતમાતાના દર્શન કરવાથી તમામ તીર્થસ્થાનના દર્શન કર્યાની અનુભૂતિ થાય છે તથા રાષ્ટ્રભાવનાના દર્શન થાય છે. એવી ભાવના સાથે ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું.

- text