તા.20 અને 21 ફેબ્રુઆરીએ મોરબીના મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી

- text


મોરબી : આગામી તા.21 અને 22ના રોજ મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે જે માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ઉર્ષ મુબારક અંતર્ગત તારીખ 20ને મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાંજે 6 કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે. જ્યારે તારીખ 21ને બુધવારના રોજ સાંજે 6 કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવેશે જેમાં રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના 12 કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે રાત્રે 11 કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝા કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે. તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈઓ તથા બહેનો આ શાનદાર જલાશામા આવી સવાબે દાલ હાશીલ કરવા દરગાહના ખાદીમ રજાકબાપુની યાદીમા જણાવાયું છે.

- text