જયશ્રી રામ : મોરબીમાં અજય લોરિયા દ્વારા કાલે 2100 કિલો મીઠાઈનું વિતરણ, અને આતશબાજી કરાશે

- text


મોરબી : આવતીકાલે રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ – નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-‘સેવા એજ સંપત્તિ’ ‘ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક સેવાભાવી અજય લોરીયા દ્વારા 2100 કિલો મીઠાઈનું વિતરણ કરાશે તથા સાંજે 6 વાગે આતશબાજી કરાશે. આ અવસરે મોરબીના તમામ રામભક્તોને પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text