રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોરબી પોલીસ એલર્ટ : સોશિયલ મીડિયા ઉપર સતત દેખરેખ

- text


સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી 

મોરબી : આગામી ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ જન્મભુમી આયોધ્યા ખાતે પ્રાણ પતિષ્ઠા મહોત્સવ હોય કોઇપણ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ કે વીડીયો કે અફવા સોશિયલ મીડીયામાં મુકવા કે ફોરવર્ડ ન કરવા મોરબી જીલ્લા પોલીસે સૂચના જાહેર કરી છે.

જેમાં જણાવાયું છે કે આ બાબતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, વોટસએપ જેવા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઇ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા કે પ્રોત્સાહન આપતા જણાઇ આવશે. તો તેઓની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

- text

- text