મોરબી જલારામ મંદિર દ્વારા તા.22મીએ 5100 પેકેટ પ્રસાદ વિતરણ કરવામાં આવશે

- text


મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શ્રી રામ મંદિર- અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તા. 22 જાન્યુઆરીના ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સવારે 10 કલાકે ધૂન- ભજન, 11 કલાકે મોરબી શ્રી રામધન આશ્રમના મહંત પ.પૂ.ભાવેશ્વરીબેનના હસ્તે 5100 પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમજ બપોરના 12:35 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા બપોરના 4 કલાકે દરબારગઢથી નગર દરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી યોજાશે. મોરબીની સર્વ ધર્મપ્રિય જનતાને તેમજ રામભક્તોને આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text