મોરબીની સુભાષનગર સોસાયટીમાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાશે

- text


એલઇડી સ્ક્રીન ઉપર કાર્યક્રમ લાઈવ દેખાડાશે : શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન

મોરબી : મોરબીની સુભાષનગર સોસાયટીમાં આગામી તા.22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ ગરબી ચોક માં એલઇડી સ્ક્રીનમાં અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

- text

આ લાઈવ કાર્યક્રમ પુર્ણ બાદ ૧:૦૦ વાગ્યે) સર્વે માટે સામુહિક ભોજનનું આયોજન કરાયું છે. બપોર ના ૩:૦૦ વાગ્યે સુભાસનગરમા શોભાયાત્રાનું ધામધુમથી આયોજન કરવામાં આવ્યું છે. જેમા ઢોલ / ત્રાંસાના તાલ સાથે બાળકો રામ, લક્ષ્મણ અને હનુમાનજીના પોશાકમાં સજ્જ થઈને ભાગ લેવાના છે. બહેનો શોભાયાત્રા વખતે ગરબા લેશે. સાંજે મહાપ્રસાદ પણ સર્વે ભાઈઓ-બહેનો સાથે લેશે. તેમ પ્રમુખ મહેન્દ્રભાઈ ફલતરીયા અને નંદલાલભાઈની યાદીમાં જણાવાયું છે.

- text