મોરબીના વિરપર ગામે 13 જાન્યુઆરીએ રામામંડળ ભજવાશે

- text


મોરબી : મોરબીના વિરપર ગામે આગામી તારીખ 13 જાન્યુઆરીના રોજ પીઠડનું પ્રખ્યાત રામામંડળ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીએ વિરપરના નવા પ્લોટ ખાતે આવેલા રામજી મંદિરે રાત્રે 9 કલાકે કચરાભાઈ લખમણભાઈ ગામી તથા મહેશભાઈ લખમણભાઈ ગામી દ્વારા પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરાયું છે. આ રામામંડળ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text