મોરબીના શક્તિ પ્લોટ અને કાયાજી પ્લોટમાં અક્ષત કળશનું ભવ્ય સામૈયું કરાયું

- text


મોરબી : આજ રોજ તારીખ 11 જાન્યુઆરી ને ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે અયોધ્યાથી આવેલા રામ જન્મભૂમિના પૂજિત અક્ષત કળશનું મોરબીના શક્તિ પ્લોટ તથા કાયાજી પ્લોટ ખાતે રામભક્તો દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને બેન્ડ વાજા સાથે વાજતે-ગાજતે અક્ષત કળશનું સ્વાગત કર્યું હતું.

પ્રમુખ હાઈટ્સ ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિતના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મણીધર હનુમાનજી મંદિરના મહંત હરીચરણદાસજી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જેઠાભાઇ મિયાત્રા (મહામંત્રી, ભાજપ મોરબી જિલ્લા), નિર્મલભાઈ જારીયા (પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), પરેશભાઈ કચોરીયા (ઉપ પ્રમુખ, મોરબી શહેર ભાજપ), દિગ્વિજયસિંહ જાડેજા (ક્ષત્રિય સમાજ અગ્રણી), નૈમિષભાઈ પંડિત (કારોબારી સભ્ય, મોરબી જિલ્લા યુવા ભાજપ), રૂપેશભાઈ રાણપરા (સંયોજક, મોરબી પ્રખંડ – બજરંગદળ), સી. ડી. રામાવત (અધ્યક્ષ, મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ), ભાવિનભાઈ ઘેલાણી (અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર), નેવિલભાઈ પંડિત (અધ્યક્ષ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા), શ્યામભાઈ ચૌહાણ (મહામંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લો), લખનભાઈ કક્કડ (ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લો), વિવેકભાઈ સીતાપરા (સહ પ્રભારી, હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લો), તેજસભાઈ બારા, મનીષભાઈ હીરાણી અને મનોજભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ અક્ષત કળશ યાત્રા વાજતે ગાજતે શક્તિપ્લોટ મેઇન રોડ થઈને મણીધર હનુમાન મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં સર્વે ભક્તો તેના દર્શન અને પૂજનનો લાભ લઈ શકે એ માટે સ્થાપન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ યાત્રા મુખ્યમાર્ગો થઈને કયાજીપ્લોટ-8 ખાતે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં રામભક્તોએ ઉપસ્થિત રહીને મહાઆરતી કરી હતી.

- text

- text