ટંકારામાં સ્થા.જૈન તથા ચતુર્વિધ સંઘ દ્વારા પુણ્યસ્મૃતી આરાધના મહોત્સવની ભવ્ય ઉજવણી

- text


ટંકારા : ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજીની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે સ્થાનકવાસી જૈન સંઘ ટંકારા તથા મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીવદયા તથા સર્વે સાધારણમા માતબર રકમ એકત્ર થઇ બે મુમુક્ષુ દિક્ષાથીની વૈરાગ્ય ભાવનાને બિરદાવી બહુમાન કર્યુ.

ટંકારા સ્થાનકવાસી જૈન સંધ તથા મહોત્ત્વના લાભાર્થી પરિવાર પ.પુ. માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા જૈન શાસનમાં ટંકારા જેનાથી ગૌરવવંતુ છે તેવા સાત – સાત સતિ રત્નો અને બે – બે સંતોના સંસ્કાર થી ધર્મ પ્રભાવની પુણ્યભુમીએ. ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઇ મહા. તથા હંસાબાઇ મહાસતિજી બા.બ્ર. નંદાબાઇ મહા, આદિઠાણા -૧૨ શ્રીસ્મૃતી પ્રસંગે પુણ્યોદય પ્રાપ્ત થતા પાવન પવિત્ર પુણ્યતિથિ નિમીતે પંચ દિવસિય તપ આરાધનાને પ્રાણવાન સુસંસ્કારી આરાધના માટે ટંકારા અપાસરા ખાતે લગાતાર એક સપ્તાહ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જય-વિજયના ગુરૂ માતા પ. પુ. મણીબાઈ મહાસતીજી એ ટંકારાની પવિત્ર ભુમી અને સુશ્રાવકો-શ્રાવિકાઓની ધર્મ ભાવના નિહાળી ટંકારા “રત્નોની ખાણ” જણાવ્યું હતું જેની ફલસ્વરૂપ આ તપોભૂમિ- વૈરાગ્ય ભુમીમાથી રાષ્ટ્રસંત સંતબાલજી અને મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના હિરલા વિરલા આપ્યા છે. જે ટંકારાને ઝળહળતું અને ચેતનવંતુ કરી ગયા છે. એમ જણાવ્યું હતું. સાથોસાથ નાનુ પણ મોતીના દાણા જેવુ ટંકારા સંઘ અને લાભાર્થી પરિવારના જડાવબેન મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવારની સ્વેત વસ્ત્ર સર્વે સંત સમાન ભાવનાની અઠળક અનુમોદના કરી હતી.

આ પ્રસંગે જીવદયા માટે 9 લાખ અને સર્વે સાધારણ માટે 11 લાખ જેટલી માતબર રકમ દાતાઓ દ્વારા એકત્ર કરી હતી. તો સંઘ દ્વારા ભાવ દિક્ષાથી વૈશાલીબેન અને મુમુક્ષ જીમીતભાઈની વૈરાગ્ય અને ભક્તિને નમન કરી સર્વે સંઘે બહુમાન કર્યુ હતું. ઉપરાંત સ્થા. સંધના રાજુભાઈ ગાંધી અને રમેશભાઈ ગાંધીએ આમંત્રિતનું સ્વાગત કરી મહોત્સવને મહેકતો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આરાધના દરમિયાન 99 આયંબિલ 54 સંપુર્ણ ઉપવાસ તપ કરેલ જેમનું સંધ તથા મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવારે બહુમાન અને અનુમોદના કરી હતી. તેમજ બેલાણી પરીવાર રાજકોટ દ્વારા ગૌચરી રૂપી એક નકરો આપી લાભ લિધો હતો. જ્યારે સંઘ પ્રભાવના રૂપે લેપટોપ બેગ અને મિઠાઈનુ પેકેટ આપી શ્રાવકોની ભાવના બિરદાવી હતી.

- text

- text