મહેન્દ્રનગર ઉમિયા ગોપી મંડળ દ્વારા ભાગવત કથાનું આયોજન 

- text


મોરબી : મોરબીના કાંતિજ્યોત, મહેન્દ્રનગર ખાતે ઉમિયા ગોપી મંડળ દ્વારા તા. 6 થી 13 જાન્યુઆરી ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાનો સમય બપોરના 2 થી 6 કલાકનો રહેશે.

ભાગવત કથાની પોથીયાત્રા તા. 6ને શનિવારે બપોરના 2 કલાકે રામધન આશ્રમથી નીકળી કાંતિજ્યોતમાં પધારશે. ભવ્ય ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું વ્યાસપીઠ પરથી વક્તા બાળવિદુષી રતનેશ્વરી દેવી (રતનબેન) ગુરૂશ્રી ભાવેશ્વરી માતાજી સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. ભાગવત કથામાં તા. 8ના પરિક્ષિત રાજાનો જન્મ, તા. 10ના કૃષ્ણ પ્રાગટ્ય નંદ ઉત્સવ, તા. 11ના રૂક્ષ્મણી વિવાહ, તા. 12ના સુદામા ચરિત્ર, તા. 13ના પરિક્ષિત મોક્ષ, કથા વિરામ જેવા વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. આ હરિરસમાં તરબોળ બનવા સર્વે ભક્તોને ઉપસ્થિત રહેવા ઉમિયા ગોપી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text