મોરબીની નિર્મલ વિદ્યાલયમાં વીએચપી દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની માહિતી અપાઈ

- text


મોરબી : આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ મહોત્સવને લઈને સૌ કોઈમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીની નિર્મલ વિદ્યાલયમાં આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપવામાં આવી હતી.

આજે બપોરે નિર્મલ વિદ્યાલયમાં વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ સમસાણી, રાજુભાઈ બદરખીયા, જયદીપભાઇ દેત્રોજા, ભાવિકભાઈ ભટ્ટ અને રમેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા આપીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ તકે નિર્મલ વિદ્યાલય વતી નિલેશભાઈ કુંડારીયા, અમુભાઈ પટેલ અને રમણીકભાઈ બરાસરાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text