વાંકાનેરના ખીજડીયા ગામે ગૌવંશ ઉપર જવલનશીલ પ્રવાહી ફેકનાર બે વિરુદ્ધ ફરિયાદ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ગૌવંશ ઉપર જવલનશીલ પ્રવાહી દ્વારા હીચકારો હુમલો કરવાની ઘટના સામે આવતા આ ગંભીર બનાવ મામલે ખીજડીયા ગામના મંદિરના પૂજારી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બંને નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા અને રામજી મંદિરના પૂજારી જીવણદાસ વિરદાસ મકવાણાએ આરોપી ઈલમુદીનભાઈ ઈબ્રાહીમભાઈ વકાલીયા તથા ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા રહે બન્ને ખીજડીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.8 ડિસેમ્બરના રોજ સાંજના સાડા આઠ વાગ્યે ખરાવાડના નાકા ડેડાની દેરી પાસે ગૌવંશ(ખુંટીયા)ના પાછળના ભાગ પર જવલનશીલ પ્રવાહી નાખતા ગૌવંશને ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text