ખોખરા હનુમાન – હરિહરધામમાં કાલે શુક્રવારે ડાયરો : કીર્તિદાન ગઢવી બોલાવશે રમઝટ

- text


મોરબી : મોરબીના ભરતનગર- બેલા રોડ ઉપર આવેલ ખોખરા હનુમાન-હરિહરધામમાં આવતીકાલે તા.29ને શુક્રવારે ભવ્ય ભજન સંધ્યા ( ડાયરો)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી અને ખુશાલીબેન બક્ષી ભજનની રમઝટ બોલાવશે. ડાયરાનો સમય રાત્રે 9 :30 કલાકનો છે. આ ડાયરામાં પધારવા સર્વે મોરબીની ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text