મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા 31મીએ વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન 

- text


વિશાળ કાર રેલીનું પણ આયોજન : મોટિવેશન સ્પીકર જય વસાવડા આપશે વક્તવ્ય : સંતો-મહંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ પણ મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત

મોરબી : મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે તા. 31 ડિસેમ્બરને રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી સર્કિટ હાઉસથી કાર્યક્રમ સ્થળ સુધી કાર રેલી યોજાશે. ત્યારબાદ કાર્યક્રમ સ્થળે મચ્છુ કાંઠા તથા હાલાર રબારી સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા છે. તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વેળાએ પૂ. કનીરામદાસજી બાપુ ગુરુ કલ્યાણદાસજી બાપુ (વડવાળા મંદિર દુધરેજ) અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક સંતો મહંતો આ કાર્યક્રમમાં પાવન પધરામણી કરી આશીર્વચન આપશે.

- text

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોટીવેશનલ સ્પીકર જય વસાવડાની પણ વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. વધુમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રાજકોટ ડીસીપી સુધીરભાઈ દેસાઈ, રાજકોટ સાઇબર સેલ એસીપી વિશાલભાઈ રબારી, અધિક કલેકટર એન. કે. મુછાર, જસદણ ડેપ્યુટી કલેકટર રાજેશભાઈ આલ, ચોટીલા ડેપ્યુટી કલેકટર પ્રિયાંકભાઈ ગરચર, રાજકોટ એસીબી પીઆઇ જે.એમ. આલ, વાંકાનેર ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, પાટણના પ્રોફેસર ડો. અવનીબેન આલ સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી, હીરાભાઈ ખાંભલા, હર્ષદભાઈ ખાંભલા, મોતીભાઈ રબારી, દેવરાજભાઈ આલ, જીવણભાઈ ખાંભલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે 9712951110, 9979473216, 99 78837300 તથા 9099705327 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text