મોરબીમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશના સામૈયા કરીને સ્વાગત કરાયું

- text


મોરબી : અયોધ્યાથી આવેલ ભગવાન શ્રીરામનો અક્ષત(ચોખા) કળશ જે સમગ્ર ભારતભરની સાથે મોરબીમાં દર્શન માટે આવેલ છે.તે અક્ષત(ચોખા) કળશના સામૈયા અને દર્શન આજે ક્રિષ્ના પાર્ક શેરી નં – ૨ના છેડે આવેલ પુનિત નગર હનુમાનજીનાં મંદિરેથી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ચંદ્રેશ નગર બાલા હનુમાનજીએ અક્ષત(ચોખા) કળશના સામૈયા કરીને સ્વાગત કરાયું હતું.

પુનિત નગર હનુમાનજીએ પધરામણી કરવા આજુબાજુ ક્રિષ્ના પાર્ક,૧-૨,પુનિત નગર, આશાપાર્ક,રાધાપાર્ક વગેરે બધી જ સોસાયટીના ધર્મપ્રેમી ભાઈઓ, બહેનોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભગવાન શ્રીરામના અક્ષત કળશ વધામણામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન શ્રીરામ મંદિર 500 વર્ષ પછી અયોધ્યા ખાતે થાય છે તો આવા અમૂલ્ય અવસરમાં બધી જગ્યાએ વધુમાં વધુ ભક્તો જોડાય તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.

- text

- text