મોરબીમાં વરિયા માતાજી મંદિરના મહંતની પુણ્યતિથિ નિમિત્તે 30મીએ ધાર્મિક કાર્યક્રમો

- text


 

મોરબી : મોરબીમાં સામાકાંઠે સો -ઓરડીમાં આવેલ વરિયા માતાજીના મંદિરના મહંત પૂ. વિરદાસબાપુની 19મી પુણ્યતિથિ નિમિતે તા.30ને શનિવારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સવારે 8:30 કલાકે પંચકુંડી વૈદિક યજ્ઞ, બપોરે 3 કલાકે સત્યનારાયણ કથા, સાંજે 4 કલાકે અયોધ્યા કળશ પૂજન, બટુક ભોજન, સાંજે 5 કલાકે ધૂન, સાંજે 6 કલાકે મહાઆરતી અને 6:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. ત્યારબાદ 9:30 કલાકે ભજન યોજાશે. જેમાં ભજનિક પ્રકાશ ગોહિલ ધૂન-ભજનની રમઝટ બોલાવશે.

- text

- text