આજે ભર શિયાળે ડેમી-2 ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલાશે, 10 ગામોને સાવચેત રહેવા તાકીદ 

- text


ડેમી-2 ડેમમાં આવેલ સૌની યોજનાના પાણીથી ડેમી-3 અને ચેકડેમ ભરાશે, ખેડૂતોને ફાયદો 

મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમમાં આવેલ સૌની યોજનાના પાણીથી ડેમી-3 અને ચેકડેમ ભરવા માટે આજે તા.22ના રોજ બપોરે 12.45 કલાકે ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવનાર હોય મોરબી, ટંકારા ઉપરાંત જોડિયા તાલુકાના 1 ગામ સહીત 10 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરાયા છે.

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમમાં આવેલ સૌની યોજનાના પાણી આવતા ડેમની સપાટી ભરેલી હોય ડેમી-2 યોજનામાંથી ડેમી-3 યોજના તેમજ ડેમી-2 હેઠળ આવતા ચેકડેમોમાં પાણી ભરવા માટે આજે તા.22ના રોજ બપોરે 12.45 કલાકે ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવનાર છે જેથી સિંચાઈ વિભાગ દ્વારા ડેમી-2 હેઠવાસમાં આવતા નસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયા તાલુકાના માવનુગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરવામાં આવ્યા છે.

- text

- text