મોરબીમાં રવિવારે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રાહતદરે વસ્તુઓનું વેચાણ કરાશે 

- text


મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા. 10 ને રવિવારે સવારે 8 થી 12 કલાકે માર્કેટીંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસીંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

- text

હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ-અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા- શિકાકાઈ પાવડર, સિંધાલૂણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી જેવી દરેક વસ્તુઓ મળી રહેશે. મોરબીની જનતાને આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text