મોરબીમાં રવિવારે નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહતદરે વસ્તુઓનું વિતરણ  

- text


મોરબી : મોરબી નવરંગ નેચરલ ક્લબ દ્વારા તા. 10 ને રવિવારે સવારે 8 થી 1 કલાકે શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે, સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે દરેક જાતના ફુલ-છોડના કલમી રોપા, દેશી ઓસડીયાનું રાહતદરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

નવરંગ નેચરલ ક્લબ દ્વારા તા. 10 ને રવિવારે સવારે 8 થી 1 કલાકે 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો દરેક જાતના ફુલ-છોડના કલમી રોપા, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધ- ચોખ્ખું મધ, દરેક જાતના બિયારણ, ગાય આધારિત ફીનાઈલ, ગૌમુત્ર અર્ક, હરીપર જાનકી ઓઈલ મીલનું ઘાણીથી પીલેલ કાળા સફેદ તલનું તેલ, રસોઈના વાસણો, હાથથી બનાવેલ તાવડીનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે વી. ડી. બાલાસર- રાજકોટ- 9427563898, લવજીભાઈ પ્રજાપતિ- મોરબી – 9925369465 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text