ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મૌન ધમ્મ યાત્રા નીકળી 

- text


મોરબી : બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મોરબીમાં આજે અનુ.જાતિ મુળ નિવાસી સંઘ દ્વારા મૌન ધમ્મ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ ધમ્મ યાત્રા નહેરુગેટ ચોક ખાતેથી નીકળી ગાંધી ચોક સુધી યોજવામાં આવી હતી. જ્યાં સૌએ બે મિનિટનું મૌન પાડી ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ભાજપના અનુ.જાતિ મોરચા દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને અનુ.જાતિ મોરચાના પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.

- text

- text