ટંકારાના ખીજડીયા ખાતે પાંચ દિવસીય શતચંડી યજ્ઞનો પ્રારંભ

- text


ટંકારા : ટંકારાના ખીજડીયા ગામે આગામી આજે 2 ડિસેમ્બરથી પાંચ દિવસીય શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 1008 અવધૂત નર્મદાનંદ બાબજીના પાવન સાનિધ્યમાં લક્ષ્મીકાંત આશ્રમ ખીજડીયા ખાતે આ યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞમાં દશનિધિ સ્નાન, પંચાંગ કર્મ, યજ્ઞ મંડપ પ્રવેશ અને યજ્ઞ પ્રારંભ બાદ તા. 6 ડિસેમ્બરના રોજ યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે. નિત્યાનંદ ભક્ત મંડળ અને ઝાલા પરિવાર દ્વારા તમામ ગુરુભક્તોને આ યજ્ઞનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text