ડુંગરપુર ગામે તા.5એ રામદેવજી મહારાજની 15મી તિથિ નિમિતે હરખનો માંડવો

- text


હળવદ : ડુંગરપૂર ગામ સમસ્ત દ્વારા રામદેવજી મહારાજની 15મી તિથિ નિમિતે રામદેવજી મહારાજના હરખના માંડવાનું આયોજન આગામી તા. 5 ડિસેમ્બરને મંગળવારના રોજ કરવામાં આવેલ છે. ડાકલાના કલાકારમાં કારૂભાઇ રાવળ ઉપસ્થિત રહેવાના છે. 5 ડિસેમ્બરના રોજ રાત્રે 8:30 કલાકે માંડલું રાખવામા આવેલ છે તેમજ તા.6 ડિસેમ્બરના રોજ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જાહેર જનતાને આ માંડવાનો લાભ લેવા ડુંગરપુર ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text