તા.4 ડિસેમ્બરે મોરબી જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


મોરબી : સમગ્ર ગુજરાતમાં જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે મોરબી શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત આગામી તારીખ 4 ડિસેમ્બર ને સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન એડિશન-ન્યુ જર્સી અમેરિકા નિવાસી સર્યુબેન બિમલભાઈ કોટક પરિવારના સહયોગથી વિનામૂલ્યે કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, હરીશભાઈ રાજા- 9879218415, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, અનિલભાઈ સોમૈયા- 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે. છેલ્લા 26 માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ 8304 લોકોએ લાભ લીધો હતો. તેમજ 3586 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

- text

- text