મોરબીના આંદરણા ગામના આધેડ ખેડૂતનું હાર્ટએટેકથી મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે વાડીએ કામ કરતા આધેડ ખેડૂતને હાર્ટ એટેક આવતા ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને ખેતી કરતા હસમુખભાઈ અમરશીભાઇ ભોરણીયા ઉ.51 ગઈકાલે પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text