મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે

- text


મોરબી : મોરબીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ નિમિત્તે તા. 3 ડિસેમ્બરને રવિવારના સાંજના 5:30 કલાકે સંસ્થાની ભોજનશાળા ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનના કાર્યક્રમની સાથે સંગીત સંધ્યા તેમજ ભોજન સમારોહનો કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતેથી ફક્ત નોંધાયેલા સભ્યોએ તા. 24 થી 30 નવેમ્બર સુધીમાં સવારના 10 થી 12 અને સાંજના 5 થી 7 દરમિયાન પાસ મેળવી લેવાના રહેશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

- text