જામનગર નજીક કારની ઠોકરે ચડેલા વધુ એક પદયાત્રીકનુ મૃત્યુ 

- text


માળીયાના તરઘડી ગામના પ્રાણજીવનભાઇ ઠોરીયાનું સારવારમાં મૃત્યુ થતા મૃત્‍યુઆંક ચાર થયો

મોરબી : મોરબીથી દ્વારકા પગપાળા યાત્રા કરીને જતા એક જ પરિવારના કુટુંબીજનોને જામનગરના મોટી ખાવડી નજીક રિલાયન્‍સ ફેક્‍ટરી સામે ગત ૧૬મીએ કાર ચાલકે ઠોકરે ચડાવી દેતાં મોરબીના રવાપરના પટેલ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા અને ચોથા પદયાત્રી તરઘડીના આધેડને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા મૃત્યુઆંક ચાર થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામના રમેશભાઇ ચતુરભાઇ ભાડજા તેમના મામાના દિકરા પરેશભાઇ લીખીયા, કરસનભાઇ ભગવાનજીભાઇ ભાડજા તેમજ રમેશભાઇના સાળા અને માળીયા મિયાણાના તરઘડીના પ્રાણજીવનભાઇ રતિલાલ ઠોરીયા (ઉ.50) સહિતના લોકો ગત તા.12મીએ મોરબીથી પગપાળા દ્વારકા જવા નીકળ્‍યા હતાં. આ તમામ પદયાત્રીઓ તા.16મીએ જામનગર-દ્વારકા હાઇવે પર મોટી ખાવડી નજીક પહોંચ્‍યા ત્‍યારે કાર ચાલકે ઠોકરે ચડાવતાં રમેશભાઇ ભાડજા, પરેશભાઇ લિખીયા અને કરસનભાઇ ભાડજાના મોત થયા હતાં.

- text

બીજી તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત પ્રાણજીવનભાઇ ઠોરીયાને રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ગઈકાલે રાતે મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં અને ખેતી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.

- text