હાર્ટ એટેકનો હાહાકાર ! વાંકાનેરના હસનપરમાં 28 વર્ષના યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : છેલ્લા એકાદ વર્ષમાં હાર્ટ એટેકને કારણે યુવાનો અકાળે મોતને ભેટી રહયા છે ત્યારે ગઈકાલે વાંકાનેરના હસનપરમાં રહેતા 28 વર્ષના આશાસ્પદ યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર કારગત ન નિવડતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text