વાંકાનેરના હસનપર નાલા નજીક મારુતિ વેન ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા પિતા – પુત્રના બાઇકને હસનપર નાલા નજીક સામેથી આવતી મારુતિવાનના ચાલકે હડફેટે લેતા સગીર પુત્રની નજર સામે પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા જયશ્રીબેન કમલેશભાઈ ભટ્ટીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.14ના રોજ તેમના પતિ કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી તેમજ તેમનો 13 વર્ષનો પુત્ર સુરેશ બાઈક લઈને જતા હતા ત્યારે હસનપર નાલા નજીક સામેથી આવતી મારુતિ વેન નંબર જીજે – 05 – આરએલ – 5375ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા કમલેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પુત્ર સુરેશને ઇજાઓ પહોચી હતી.

અકસ્માતના આ ગંભીર બનાવમાં મારુતિ વેનનો ચાલક અકસ્માત સર્જી બનાવ સ્થળે વાહન રેઢું મૂકી નાસી જતા જયશ્રીબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text