મોરબીના આંદરણા ગામે વાછાણી પરિવારે માતાના લૌકિક પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો

- text


મોરબી : મોરબીના આંદરણા ગામે વાછાણી પરિવાર દ્વારા તેઓના સ્વર્ગસ્થ માતા જમનાબેન છગનભાઈ વાછાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના લૌકિક પ્રસંગે તારીખ 2 નવેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. આ કેમ્પમાં દાત્રી સ્ટેમસેલ ડોનેશન રજિસ્ટ્રી નામની સંસ્થાએ પણ ભાગ લીધો હતો. જે બ્લડ કેન્સર થેલેસીમિયાના દર્દી સ્ટેમસેલ ડોનેટ કરીને નવું જીવનદાન આપવા બાબતે જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે. આ રજિસ્ટ્રી હેઠળ 33 લોકોએ રજિસ્ટ્રેશન કરાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંપૂર્ણ વાછાણી પરિવારે તેમના માતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બદલ દરેક સ્વૈચ્છિક બ્લડ ડોનરોનો આભાર વ્યક્ત કર્યો છે.

- text

- text