રસ્તાની મોકાણ ! રવાપર રોડની સોસાયટીનો રસ્તો બંધ કરાતા રહીશોને હાલાકી

- text


વિજયનગર સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલી સોસાયટીનો મુખ્ય રોડ બંધ કરી દેતા આ સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીઓના લોકોને અવર- જવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. આથી આ સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર-1, 2 સોસાયટીના લોકોએ આજે કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, વિજયનગર-1, 2 સોસાયટીના લોકોનો જ્યાંથી છેલ્લા 35 વર્ષથી અવરજવર કરવાનો મુખ્યમાર્ગ છે. એ માર્ગની બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે. જો કે 2 વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કરો દેવામાં આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. પણ હવે ફરી પાછા 10 દિવસ પહેલા આ વિજયનગર સોસાયટીનો રસ્તો બંધ કરી દેતા આ સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડે છે અને લોકોને ફરી ફરીને જવું પડે છે. આથી સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી તેમની સોસાયટીનો બંધ કરેલો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.

- text

- text