મોરબીમાં ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાયું 

- text


મોરબી : મોરબી પરશુરામ યુવા ગૃપ, વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની બજરંગદળ દ્વારા વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર અને શાસ્ત્રોનું પંડિત આચાર્ય રોહિતભાઈ પંડ્યાના હસ્તે શસ્ત્ર પૂજનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિનીના ક્ષેત્રીય પ્રમુખ તેમજ વી ટી એસ એસ ના રાષ્ટ્રીય મહામંત્રી ડો. યજ્ઞાબેન દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે,હાલના સમયમાં શસ્ત્ર સાથે શાસ્ત્ર ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આ શસ્ત્રની ધાર કાઢવાની સાથે સાથે જરૂર પડે તેનો ઉપયોગ પણ કરવો અનિવાર્ય છે.

આ તકે ડો. યજ્ઞાબેન દવે દ્વારા બ્રહ્મ સમાજ એક જ નહીં તમામ સમાજને સાથે રાખી એકતાનું શસ્ત્ર ઉઠાવવા પણ આહવન કર્યું હતું. આ તકે મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મહિધરભાઈ દવે, કમલભાઈ દવે, ઋષિભાઈ મહેતા, ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, બ્રહ્મ અગ્રણી મુકુન્દરાય જોશી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ અને પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા, મોરબી સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ પંડ્યા, મહામંત્રી નીરજભાઈ ભટ્ટ, મંત્રી વિજયભાઈ રાવલ, પરશુરામ યુવા ગ્રુપના હર્ષ વ્યાસ,યગેંશ રાવલ, ગાયત્રી ટ્રસ્ટના જગદીશ ભાઈ ઓઝા,મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી હાજર રહ્યાં હતાં તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી,બજરંગ દળના વિભાગ સંયોજક કમલભાઈ દવે,બજરંગ દળ મોરબી જિલ્લા સંયોજક નિલેશભાઈ જાકાસનિયા,દુર્ગા વાહિની મોરબી જિલ્લા સંયોજીકા આરતીબેન પટેલ,મોરબી શહેર અધ્યક્ષ પરેશભાઈ તન્ના,મોરબી શહેર મંત્રી આશિષ સિંહ જાડેજા, બજરંગ દળ શહેર સંયોજક રૂપેશભાઈ રણપરા, સામાજીક સમરસતા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ રમેશભાઇ પંડ્યા ,મોરબી જિલ્લા સામાજીક સમરસતા પ્રમુખ હસુભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા.

- text

- text