ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલકમ નવરાત્રિનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ઈન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી દ્વારા વેલકમ નવરાત્રિનો ધમાકેદાર કાર્યક્રમ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યોજાયો હતો.

મોરબીમા મા ગરબી મંડળના ગ્રાઉન્ડમાં ઇન્ડિયન લાયનેસ ક્લબ- મોરબી દ્વારા ઓપન મોરબી નવરાત્રિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150થી વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં ખેલૈયાઓને ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. જેમાં ત્રણેય કેટેગરીમાં મળીને કુલ 3 કલર ટીવી, 3 મિક્સર અને 3 ટ્રોલી બેગ ઈનામમાં આપવામાં આવ્યા હતા. સાથે અન્ય 50થી વધુ ઈનામો ખેલૈયાઓને અપાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હાજરી આપી હતી. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ મા ગરબી મંડળના સંચાલક જયરાજસિંહ જાડેજાનો આભાર માન્યો હતો અને સાથે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા ખેલૈયાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી પરિવારના બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text