સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા દશેરાએ શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ મોરબીના પરશુરામધા ખાતે યોજાશે.

આગામી તારીખ 24 ઓક્ટોબર ને મંગળવારના રોજ વિજ્યાદશમીનો અવસર હોય ઠેર ઠેર શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સનાતન સંસ્કૃતિના પાવન અવસર વિજ્યાદશમી નિમિત્તે સવારે 9-30 થી 11 વાગ્યા સુધી મોરબીના નવલખી રોડ પરના પરશુરામધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉપસ્થિત રહેશે અને વિજ્યાદશમીની ઉજવણી કરશે.

- text

- text