બગથળાના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

- text


 

મોરબી : મોરબીના બગથળાના આશાપુરા મિત્ર મંડળ દ્વારા આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બગથળાના નિલેશભાઈ ઘરોડિયા અને મિત્ર મંડળ દ્વારા માતાના મઢે જતાં પદયાત્રીકોને રસ્તામાં મેડિકલ સેવા, ઠંડાપીણા આપવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, નિલેશભાઈ ઘરોડિયા અને મિત્ર મંડળ દ્વારા દર મહિને ફંડ એકત્ર કરીને માતાના મઢે જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પ ખોલવામાં આવે છે. સતત ત્રીજા વર્ષે આ સેવા કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીકો લાભ લઈ રહ્યા છે.

- text

- text