- text
માળિયા : તાલુકાના દેરાળા સ્થિત બાલગરજી બાવા સાહેબની જગ્યામાં પાંચ દિવસ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધી દરરોજ રામધૂન યોજાશે અને ભક્તો માટે મહાપ્રસાદનું પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
બાલગરજી બાવા સાહેબની જગ્યાના પૂજારી હરેશ ભારતી હસમુખ ભારતી ગોસ્વામી તથા સમસ્ત દેરાળા ગામ દ્વારા આ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહંત દામજી ભગત (નકલંગ જગ્યા બગથળા), મહંત ભાવેશ્વરીબેન (રામધણ આશ્રમ મોરબી), મહંત વલ્લભદાસ બોડા (હનુમાન જગ્યા), મહંત પ્રભુદાસ (રામબાઈ માની જગ્યા) તથા સમસ્ત સાધુ-સંતોના સામૈયા પણ કરવામાં આવશે.
- text
- text