આજે બુધવારે જેતપર ગામે શૌર્ય જાગરણ યાત્રા પહોંચશે, રાત્રે વિરાટ ધર્મ સભા

- text


મોરબી : વિશ્વ હિંદુ પરિષદ- બજરંગદળ મોરબી દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શૌર્ય જાગરણ યાત્રા આજ રોજ મોરબીના જેતપર ગામે આવી પહોંચશે.

જેતપર ગામમાં આજ રોજ તારીખ 4 ઓક્ટોબર ને બુધવારના રોજ શૌર્ય જાગરણ યાત્રાનું આગમન થશે અને યાત્રા જેતપર ગામે રાત્રિ રોકાણ કરશે. રાત્રે 8 કલાકે જેતપર ગામે રામજી મંદિર ચોકમાં વિરાટ ધર્મ સભાનું પણ આયોજન કરાયું છે. તો આ વિરાટ ધર્મ સભામાં ગામના તમામ ભાઈઓ-બહેનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text