હળવદ તાલુકાના સુસવાવ ગામની દીકરીને રાપર કચ્છના સાસરિયાઓનો ત્રાસ

- text


કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે પિયર ધરાવતા પરિણીતાને રાપર ખોખરા (કચ્છ)ના સાસરિયાઓ કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હોય પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથક પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે પિયર ધરાવતા દીનાબા સજુભા ચૌહાણના લગ્ન વર્ષ 2013માં -રાપર ખોખરા તા-અંજાર જી-ભુજ (કચ્છ )ના વીરેન્દ્રસિંહ મંગુભા જાડેજા સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પતિ વીરેન્દ્રસિંહ મંગુભા જાડેજા અને સાસું પ્રવીણાબા મંગુભા જાડેજા અવાર નવાર નાની નાની બાબતોમા તથા રસોઇ બાબતે તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરતા હોય દીનાબેન પરિવાર દ્વારા સમાજરાહે સમાધાનના પ્રયાસો કર્યા હતા જે સફળ ન થતા અંતે ઘરેલુ હિંસા મામલેમોરબી મહિલા પોલીસ મથકમાં પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text