મોરબીમાં રામદેવપીર ઉત્સવની ભવ્ય ઉજવણી

- text


મોરબી : મોરબીમાં સો ઓરડી મેઈન રોડ ઉપર નઝરબાગ સામે આજે રામદેવપીર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સાંજે રામદેવપીરની શોભાયાત્રા નીકળી હતી. આ સાથે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિલાવર લાડકા, નટુભાઈ પ્રજાપતિ, કેશુભાઈ ભોજવીયા, પ્રેમજીભાઈ ચાવડા, શંકરભાઈ પ્રજાપતિએ ધૂન ભજનની રમઝટ બોલાવી હતી.

શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા, જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા, ગૌતમભાઇ સોલંકી, બળવંતભાઈ સનાળીયા, ભીખાભાઈ સોલંકી, ભરતભાઇ જોશી, પરશોતમભાઇ સોલંકી, મંદિરનાં સંચાલક તરીકે સેવા આપતા છગનભાઈ સોલંકી તેમજ અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text