23 સપ્ટેમ્બરે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલી યોજાશે 

- text


મોરબી : મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આગામી તારીખ 23 સપ્ટેમ્બર ને શનિવારના રોજ પડતર પ્રશ્નો બાબતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ પ્રમાણે પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મોરબીમાં મૌન રેલી યોજાશે. 23 સપ્ટેમ્બર ને શનિવારે સાંજે 4 કલાકે નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમા પાસેથી મૌન રેલનું પ્રસ્થાન થશે અને શનાળા રોડ પર થઈને ગાંધી ચોક બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સમાપન થશે. તો આ મૌન રેલીમાં ગ્રાન્ટેબલે શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વહીવટી મિત્રોને મોટી સંખ્યામાં સફેદ વસ્ત્રો સાથે કાળી પટ્ટી ધારણ કરીને જોડાવવા જણાવવામાં આવ્યું છે.

- text

- text