- text
મોરબીથી લૌકિકે જતા હતા ત્યારે કાળમુખો ટ્રક ચાર ચાર યુવાનોને ભરખી ગયો
મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડાથી જૈનાબાદ વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોરબી પંથકના ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના પાટડી દસાડાથી જૈનાબાદ જતા હાઇવે ઉપર સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી કાર રોડ ઉપરથી પલટી મારી નીચે ઉતરી જતા કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્માતના આ બનાવ અંગે દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયાએ જણાવ્યું હતું કે, ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. વધુમાં મૃતકો લૌકિક ક્રિયામા હાજરી આપવા દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમા (1) ઇન્દ્રજીતસિંહ જટુભા ઝાલા ઉંમર વર્ષ 22 રહે મોડપર, મોરબી (2)
- text
મુક્તરાજ કલુભા ઝાલા ઉંમર વર્ષ 34 રહે. મોડપર તાલુકો જીલ્લો મોરબી (3)
સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા ઉંમર વર્ષ 33 રહે.વીરપરડા તાલુકો જીલ્લો મોરબી અને (4)
વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા, ઉંમર વર્ષ 25 રહે. ઇન્દિરા નગર મહેન્દ્રનગર મોરબીનો સમાવેશ થાય છે.
- text